ગુરુવાર, 26 એપ્રિલ, 2012

જનરલ નોલેજ 50 સવાલ-જવાબ ભાગ-1


1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે
ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને
બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans:
હલ્લીસક
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે
ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
4 કોયલકુળનું
પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા
સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ
ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી,
ગુજરાતી અને સંસ્કૃત
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું
બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત
રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans:
ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ?
Ans: તાતારખાન
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત
વિદ્યાપીઠનું નામ જણાવો. Ans:
વલભી વિદ્યાપીઠ
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત
કયાં જોવા મળે છે? Ans: ગુજરાત

11 શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો એક
ગુજરાતમાં છે, તે કયાં આવેલો છે ? Ans: દ્વારકા
12
ઉડતી ખિસકોલી ગુજરાતના કયા વનવિસ્તારોમાં
દેખી શકાય છે? Ans: શૂરપાણેશ્વર અને દક્ષિણ-મધ્ય
ગુજરાતનાં જંગલો
13 મધ્યકાલીન
ગુજરાતી સાહિત્યનાં કયા કવિ નિરક્ષર હતા ?
Ans: કવિ ભોજા ભગત
14 ગુજરાતનું સૌથી મોટું ‘કૃત્રિમ સરોવર’ કયું છે?
Ans: સરદાર સરોવર
15 શૈક્ષણિક અને સામાજિક પછાતવર્ગ માટે
ગુજરાત સરકાર દ્વારા કઇ શાળાઓ
ચલાવવામાં આવે છે? Ans: નવોદય શાળાઓ
16 નર્મદા નદીનું પાણી અન્ય કઇ નદીને મળે છે ?
Ans: સાબરમતી નદી અને સરસ્વતી
17 ગુજરાતમાં વર્નાકયુલર
સોસાયટીની સ્થાપના કોણે કરી ? Ans:
એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
18 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે
જાણીતા છે? Ans: પ્રીતી સેનગુપ્તા
19 કઇ સાલમાં ભયાનક પૂર આવવાને કારણે
લોથલનો વિનાશ થયો હોવાનું મનાય છે? Ans: ઇ.સ.
પૂર્વે ૧૯૦૦ આસપાસ
20 અહમદશાહે
ગુજરાતની રાજધાની પાટણથી કયાં ખસેડવાનો
નિર્ણય કર્યો હતો? Ans: આશાવલ (હાલનું
અમદાવાદ)
21 ‘જયુબિલી ઓફ ક્રિકેટ’ નામનું પુસ્તક
કયા ક્રિકેટર પર લખાયું છે? Ans: જામ
રણજીતસિંહ
22 પ્રાચીન સમયમાં ‘દંડકારણ્ય’ તરીકે
ઓળખાતો પ્રદેશ અર્વાચીન ગુજરાતમાં કયા નામે
ઓળખાય છે? Ans: ડાંગ
23 સ્વરાજની લડત માટે રવિશંકર મહારાજે કયુ
પુસ્તક ઘરે ઘરે પહોંચતું કર્યું હતું? Ans: હિંદ સ્વરાજ
24 એક સમયે ગુજરાતનો ભાગ
ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ
કરી હતી ? Ans: શૂન્ય
25 કચ્છના રળિયામણા રણમાં કઇ
પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે? Ans:
શરદ પૂર્ણિમા

26 ગુજરાતમાં જીરૂ અને
વરિયાળીના વેપારના સૌથી મોટા કેન્દ્ર તરીકે
કયું શહેર જાણીતું છે ? Ans: ઉંઝા
27 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ
કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર
28 ગુજરાતના કયા ખેલાડીએ ભારતીય ક્રિકેટ
ટીમના કૉચની સફળ ભૂમિકા ભજવી છે? Ans:
અંશુમાન ગાયકવાડ
29 સૌરાષ્ટ્રનું સૌથી મોટું બંદર કયું છે ? Ans:
ઓખા
30 ગુજરાતમાં વજનકાંટા માટેનું પ્રખ્યાત સ્થળ કયું
છે ? Ans: સાવરકુંડલા
31 રીંછનો પ્રિય ખોરાક શું હોય છે? Ans: ઉધઇ
32 ગુજરાતના કયા રાજવી સંતના નામ સાથે
પીપાવાવ બંદરનું નામ જોડાયેલું છે? Ans: સંત
પીપાજી
33 શહીદ થયેલા સ્વાતંત્ર્ય સૈનિકનું શબ જોઇને
ઝવેરચંદ મેઘાણીએ કઇ કૃતિ રચી હતી? Ans:
મૃત્યુનો ગરબો
34 અષ્ટાવક્ર મુનિએ પોતાનો મત પ્રતિપાદીત
કરતી ગીતા કયાં રચી હતી? Ans: પ્રભાસ પાટણ
35 ગુજરાતનું સૌપ્રથમ નેચર એજયુકેશન સેન્ટર
કયાં છે ? Ans: હિંગોળગઢ
36 મહાગુજરાતની અલગ રચનાની આગેવાની કોણે
લીધી હતી? Ans: ઈન્દુલાલ યાજ્ઞિક
37 અંગ્રેજોની રંગભેદની નીતિ સામે
સત્યાગ્રહની ઘટના મહાત્મા ગાંધીજીના કયા
પુસ્તકમાં છે? Ans: દક્ષિણ
આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ
38 ‘રામ રમકડું જડિયું રે, રાણાજી!...’ પદ કોણે
રચ્યું છે? Ans: મીરાંબાઇ
39 ગુજરાતની કઇ ચેસ ખેલાડી સૌ પ્રથમ વુમન
ઇન્ટરનેશનલ
માસ્ટર્સની પ્રતિયોગિતા જીતી હતી ? Ans:
ધ્યાની દવે
40 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર
આવેલું છે? Ans: ભુજંગ મંદિર
41 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ
(વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
Ans: ડૉ. મધુકર મહેતા
42 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર
સાથે પરણ્યા છે? Ans:
ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી
43 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ?
Ans: હજીરા
44 ગુજરાતમાં ટેલિવીઝનનો પ્રાંરભ
કયારથી થયો? Ans: ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫
45 ‘એકલવ્ય આર્ચરી એકેડેમી’ની સ્થાપના કોણે
કરી હતી? Ans: દિનેશ ભીલ
46 પોરબંદરમાં આવેલ
મહાત્મા ગાંધી કીર્તિ મંદિર કોણે બંધાવ્યું? Ans:
નાનજી કાલિદાસ મહેતા
47 ગુજરાતી સાહિત્યમાં ‘આખ્યાનનો પિતા’ કોણ
ગણાય છે ? Ans: કવિ ભાલણ
48 ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...’ - આ પદ
કોનું છે? Ans: નરસિંહ મહેતા
49 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે
કરી? Ans: ઠક્કરબાપા
50 શિવરાત્રિનું પર્વ
ગુજરાતના કયા પનોતા પુત્રના જીવનમાં આમૂલ
પરિવર્તન આણનારું બની રહ્યું? Ans:
સ્વામી દયાનંદ સરસ્વતી