મંગળવાર, 21 ઑક્ટોબર, 2014

સંસદ ભવન

સંસદ ભવન ♥

♥ લોકશાહીનું પવિત્ર મંદિર એટલે સંસદભવન.
સંસદભવનની અલપ-ઝલપ ઝાંખી કરી લઈએ.

* ઈમારતનો આકાર - ગોળાકાર

* રેખાંકન કરનાર - સર એડવર્ડ લ્યુટન્સ અને
સર હર્બટ બાકર (બંને અંગ્રેજ સ્થપતિઓ)

* ભૂમિપૂજન - તે વખતના બ્રિટીશ રાજાના મામા ડયુક ઓફ કેનોટના હસ્તે

* બાંધકામનો ખર્ચ - રૂ.૮૩ લાખ

* વાસ્તુપૂજન - લોર્ડ ઈરવિનના હસ્તે, ૧૮મી જાન્યુઆરી ૧૯૨૭ના રોજ.

* ત્રણ માળના સંસદભવનના કેન્દ્રસ્થાને આવેલો સેન્ટ્રલ હોલઃ ૨૯.૯ મીટર વ્યાસનો,

* તેના પરના ભવ્ય ઘુમ્મટની ઉંચાઈ - ૧૧૮ ફૂટ

* આ સેન્ટ્રલ હોલમાં જ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ની મધ્ય રાત્રિએ ઐતિહાસિક સત્તા-પરિવર્તન સમારંભ યોજાયો અને અંગ્રેજોએ આપણા દેશને આઝાદ કર્યો.

* સેન્ટ્રલ હોલમાં ચિત્રોની સંખ્યા - ૨૪.

* ગાંધીજીના ચિત્રનું અનાવરણ થયું - ૧૮મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ.

* આ ચિત્ર દોરનાર - સર ઓસવાલ બિર્લે

* સંસદભવનના વરંડામાં ચિત્રોની સંખ્યા - ૫૮.

* સંસદભવન પરિસરમાં પ્રતિમાઓની સંખ્યા - ૧૩.

* લોકસભા અને રાજ્યસભાના અધ્યક્ષ (સભાપતિ)ના આસનની ઉપરની બાજુએ 'ધર્મચક્ર પ્રવર્તનાય' એવા શબ્દો છે અને અશોક ચક્રનું ચિન્હ કોતરાયેલું છે.

* લોકસભાના અધ્યક્ષના આસન સામે ભારતની બંધારણસભાના પહેલા ચૂંટાયેલા અધ્યક્ષ
વિઠ્ઠલભાઈ પટેલનું ચિત્ર છે.

* પહેલી લોકસભા ૧૯૫૨માં અસ્તિત્વમાં આવી.

* ૧૯૫૨થી ૧૯૬૪ સુધી પંડિત જવાહરલાલ નહેરુ સભાગૃહના નેતા રહ્યા હતા.

* ૧૯૬૬, ૧૯૯૭, ૨૦૦૪ અને ૨૦૦૯માં એમ ચાર
વખત વડાપ્રધાન રાજ્યસભામાંથી આવેલા.

* લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠક
અને ગાલીચાનો રંગઃ લીલો.

* લોકસભામાં વિરોધ પક્ષના પ્રથમ
નેતા - રામસૂ ભગતસિંહ (૧૯૬૯-૭૦).

* રાજ્યસભા -  સંસદભવનની ઈમારતમાં જ.

* આકાર - ૪૪૫ ચોરસમીટર

* બેઠકોની ક્ષમતા - ૨૫૦

* બેઠક વ્યવસ્થા - હરોળમાં છ ભાગમાં. લાલ રંગની બેઠકો

* લોકસભામાં ચૂંટાયેલા સભ્યો માટે બેઠકો અને ગાલીચાનો રંગ લીલો.

* રાજ્યસભાનું પહેલું અધિવેશનઃ ૧૩મી મે ૧૯૫૨ના રોજ.

* રાજ્યસભાના વિરોધ પક્ષના પહેલા નેતા -  શ્યામાનંદ મિશ્રા.

* રાજ્યસભા વરિષ્ઠ સભાગૃહ (અપર હાઉસ) ગણાય છે, જ્યારે લોકસભા 'હાઉસ ઓફ પીપલ' તરીકે ઓળખાય છે.

* બંને ગૃહોનો આકાર ઘોડાની નાળ જેવો, અર્ધ વર્તુળાકાર છે.

* અગાઉ આ બંને સભાગૃહોની બનેલી એક જ
કોન્સ્ટિટયુ. શન એસેમ્બ્લી ઓફ ઈન્ડિયા
તા. ૯-૧૨-૧૯૪૬થી ૧૪-૧-૧૯૫૦ સુધી અસ્તિત્વમાં હતી.
www.Katariyagk.blogspot.com