ગુરુવાર, 18 ઑગસ્ટ, 2016

પંજાબ સહિત ત્રણ રાજ્યને મળ્યા નવા રાજ્યપાલ, નજમા બન્યા મણિપુરના ગવર્નર

મણિપુર, પંજાબ અને આસામને નવા રાજ્યપાલ મળ્યાં છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ ત્રણેય રાજ્યોમાં નવા રાજ્યપાલો અને એક ઉપ રાજ્યપાલના નામની જાહેરાત કરી છે.

નજમા હેપતુલ્લાને મણિપુર, વી.પી.સિંહ બડનોરને પંજાબ અને બનવારીલાલ પુરોહિતને આસામના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે. આ સાથે ભાજપના નેતા જગદીશ મુખીને કેન્દ્રશાસિત અંડમાન અન નિકોબારના ઉપરાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.

આ પહેલા નજમા હેપતુલ્લા કેન્દ્ર સરકારમા અલ્પસંખ્યક પ્રધાન હતા. નઝમા હેપતુલ્લા મણિપુરના 18મા રાજ્યપાલ બન્યા છે. મહત્વનું છે કે, 75 વર્ષથી વધુ વયના નજમા હેપતુલ્લાને 12 જુલાઇ 2016ના રોજ મંત્રી મંડળમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.

તેમની જગ્યાએ અબ્બાસ નકવીને અલ્પસંખ્યક પ્રધાન બનાવાયા હતા. આ પહેલા તેઓ આ વિભાગમાં રાજ્ય પ્રધાન હતા.